રાજકોટ
News of Wednesday, 25th January 2023

કોડીનારમાં ઘરે પડી જતાં ૭૧ વર્ષિય બાબુગીરી ગોસ્‍વામીનું મોત

રાજકોટ તા. ૨૫: કોડીનારમાં રહેતાં વૃધ્‍ધ ઘરે પડી જતાં ઇજા થતાંસારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું.

કોડીનાર રહેતાં બાબુગીરી ભગવાનગીરી ગોસ્‍વામી (ઉ.વ.૭૧) તા.૨૦મીસએ સવારે ઘરે પડી જતાં ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટની હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોકર છવાઇ ગયો હતો. પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી કોડીનાર પોલીસને કાગળો મોકલ્‍યા હતાં.

(11:25 am IST)