રાજકોટ મહાનગરપાલિકામાં પ્રજાસત્તાક પર્વ પર રાષ્ટ્ર ધ્વજ લહેરાવતા મ્યુનિ. કમિશનર
અન્ય શહેરોની સરખામણીએ આપણું રાજકોટ કેટલીયે બાબતમાં અગ્રેસર બની શક્યું છે: ઉદિત અગ્રવાલ
રાજકોટ: આજે ૭૨માં પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે તા.૨૬ના રોજ સવારે ૯.૦૦ વાગ્યે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજાયેલ ગૌરવપૂર્ણ સમારોહમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો હતો અને રાષ્ટ્ર ગીતના ગાન સાથે ત્રિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે સુરક્ષા વિભાગ અને ફાયર અને ઈમરજન્સી વિભાગના જવાનોએ પરેડ યોજી હતી.
આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ મેયર શ્રી બિનાબેન આચાર્ય, શ્રી કમલેશભાઈ મીરાણી, શ્રી દલસુખભાઈ જાગાણી, શ્રી અજયભાઈ પરમાર, શ્રી પુષ્કરભાઇ પટેલ, શ્રી વર્ષાબેન રાણપરા, શ્રી અંજનાબેન મોરઝરીયા, શ્રી દુર્ગાબા જાડેજા, શ્રી રૂપાબેન શીલુ, શ્રી શિલ્પાબેન જાવિયા, શ્રી કાશ્મીરાબેન નથવાણી તેમજ નાયબ કમિશનરશ્રીઓ શ્રી બી.જી.પ્રજાપતિ, શ્રી એ.આર.સિંહ અને શ્રી ચેતન નંદાણી, તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના સી.ઈ.એ. શ્રી ચેતન ગણાત્રા, સેક્રેટરી શ્રી એચ.પી રૂપારેલિયા, સિટી એન્જી.શ્રીઓ શ્રી એમ.આર. કામલિયા, શ્રી અલ્પના મિત્રા, શ્રી એચ. યુ. દોઢિયા, શ્રી કે.એસ.ગોહેલ, શ્રી વાય.કે.ગૌસ્વામી, શ્રી હેમેન્દ્ર કોટક, સહાયક કમિશનરશ્રીઓ શ્રી એચ. કે. કગથરા, શ્રી એચ.આર.પટેલ, શ્રી વી.એસ.પ્રજાપતિ, શ્રી સમીર ધડુક, ચીફ એકાઉન્ટન્ટ શ્રી અમિત સવજીયાણી, ડાયરેક્ટર-ગાર્ડન એન્ડ પાર્ક્સ શ્રી ડૉ. કે.ડી.હાપલીયા, પર્યાવરણ ઈજનેર, શ્રી એન.આર.પરમાર, ડાયરેક્ટર-આઈ.ટી. શ્રી સંજય ગોહેલ, પી.એ.(ટેક) ટુ કમિશનર શ્રી રસિક રૈયાણી, આરોગ્ય અધિકારીશ્રી ડૉ. લલિત વાંઝા, નાયબ આરોગ્ય અધિકારીશ્રી ડૉ. મનીષ ચુનારા, ડીવાય.એસ.પી. શ્રી આર.બી.ઝાલા, ચીફ ફાયર ઓફિસર શ્રી ઈલેશ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર શ્રી બી.જે.ઠેબા, લાઈબ્રેરિયન શ્રી નરેન્દ્ર આરદેશણા, નાયબ પર્યાવર ઈજનેર શ્રી પ્રજેશ સોલંકી અને શ્રી વલ્લભભાઈ જીંજાળા, આસીસ્ટન્ટ મેનેજરશ્રીઓ શ્રી ભરત કાથરોટીયા, શ્રી વિપુલ ઘોણીયા, શ્રી ભૂમિ પરમાર, શ્રી એન.કે.રામાનુજ, શ્રી હરેશ લખતરીયા, શ્રી અમિત ચોલેરા, એન્ક્રોચમેન્ટ રિમૂવલ ઓફિસરશ્રી કેપ્ટન પરબત બારૈયા, વોર્ડ ઓફિસર શ્રી કેતન સંચાણીયા, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રી હીરાબેન રાજશેખા, તથા આઈ.સી.ડી.એસ. સ્ટાફ, પી.આર.ઓ. શ્રી ભૂપેશ ટી. રાઠોડ, વગરે ઉપસ્થિત રહયા હતાં.
આ અવસરે મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં રાજકોટના નાગરિકોને દેશના ૭૨માં પ્રજાસતાક પર્વની શુભેચ્છા પાઠવતા એમ કહ્યું હતું કે, દેશની સ્વતંત્રતાના ઐતિહાસિક જંગમાં સર્વોચ્ચ બલિદાન આપી ચિરંજીવી બની ચુકેલા તમામ શહીદો અને આઝાદ ભારતની પ્રગતિના પાયારૂપ પાવન ગ્રંથ સમા "બંધારણ"ના ઘડવૈયાઓને શત શત નમન કરું છું.
મ્યુનિ. કમિશનરશ્રીએ એમ પણ કહ્યું કે, આ તકે હું એ યાદ કરાવવા ઈચ્છું છું કે, છેલ્લા દસ મહિનાથી આપણા દેશમાં કોરોના મહામારીએ લોકજીવન પર અનેક પ્રકારની વિપરીત અસર પહોંચાડી છે. રાજકોટ શહેરમાં પણ વહીવટી તંત્ર સૌ નાગરિકોના સાથસહકાર સાથે કોરોના મહામારી સામે લડી શક્યું છે. કોરોના સામેના જંગમાં પોતાના પરિવારને ભૂલીને નાગરિકોની રક્ષા માટે સેવા આપનાર તમામ આરોગ્ય કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ અને આ મહાલડતમાં કદમ સાથે કદમ મિલાવીને કાર્ય કરનારા તમામ કર્મચારીઓ, સંકટ સમયે નાગરિકોની સેવામાં તત્પરતા બતાવનાર વિવિધ સેવાકીય સંસ્થાઓ અને તેના આગેવાનો સહિતના સૌ કોઈ વ્યક્તિ અભિનંદનને પાત્ર છે.
કમિશનરશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના સર્વાંગી વિકાસમાં દરેક નગરજનને સામેલ કરવા સતત પ્રયાસો કર્યા છે. અન્ય શહેરોની સરખામણીએ આપણું રાજકોટ કેટલીયે બાબતમાં અગ્રેસર બની શક્યું છે. આપણું રાજકોટ શહેર સતત વિકાસનો પંથ જાળવી રાખે અને પ્રત્યેક વ્યક્તિને "આ મારૂ રાજકોટ" છે, તેવી ભાવનાત્મક પ્રતીતિ થાય તેવું રાજકોટ મહાનગરપાલિકા ઈચ્છે છે.