News of Friday, 25th December 2020
૩૫માં દિવસે જાહેરનામા ભંગના ૧૬૯ કેસ
રાજકોટ, તા. ૨૫ : કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકાવવા માટે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે બહાર પાડેલા જાહેરનામાનું પાલન કરાવવા માટે પોલીસ સક્રિય કામગીરી કરી રહી છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં કર્ફયુના સમય દરમિયાન ઘરની બહાર નીકળનારાને પકડી કાર્યવાહી કરવામાં આવે છે. જયારે ગઈકાલે રાત્રે કર્ફયુનું પાલન નહિં કરનારા વિરૂદ્ધ ૧૬૯ જાહેરનામા ભંગના ગુના દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.
(3:53 pm IST)