News of Friday, 25th November 2022
મનપા દ્વારા આદર્શ આચારસંહિતાની કડક અમલવારી
રાજકોટઃ રાજયમાં વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબકકાનું મતદાન તા.૧ ડીસેમ્બરના રોજ યોજાનાર છે તા.૩ નવેમ્બરના રોજ ચૂંટણીની જાહેરાત થતા આદર્શ આચાર સંહિતા અમલી બની છે. ત્યારે મનપાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારો-રાજમાર્ગો ઉપરથી મંજુરી વિનાના રાજકીય બેનરો-ઝંડીઓ ઉતારવાનું શરૂ કરવામાં આવેલ. જે અંતર્ગત આજરોજ વિવિધ રાજકીય પક્ષોના બોર્ડ-બેનરો-ઝંડા ઉતારવાની કાર્યવાહી કરવામાં આવેલ તે તસ્વીરમાં જોઇ શકાય છ.ે
(4:15 pm IST)