રાજકોટ
News of Wednesday, 25th November 2020

લોકો સહકાર આપી રહ્યા છેઃ ઉચ્ચ અધિકારીઓના આદેશ મુજબ કડક કાર્યવાહીઃ પીઆઇ ચાવડા

 યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એ.એસ. ચાવડા અને ટીમે આકાશવાણી ચોક તથા અન્ય વિસ્તારોમાં નાઇટ પેટ્રોલીંગ કરી કર્ફયુના આદેશનું કડક પાલન કરાવ્યું હતું. પીઆઇ ચાવડાએ જણાવ્યું હતું કે કર્ફયુના આદેશનું કડક પાલન ઉચ્ચ અધિકારીશ્રીઓના માર્ગદર્શન-સુચના મુજબ કરાવવામાં આવે છે.   તમામ ટીમો સતત એલર્ટ રહે છે. લોકો પણ સહકાર આપી રહ્યા છે. આમ છતાં અમુક કારણ વગર નીકળતાં હોય છે. લોકો કાયદાના ઘર્ષણમાં ન આવે તે પણ જરૂરી છે. કર્ફયુ સમયે લોકોએ ઘરમાં જ રહી સલામત-સુરક્ષીત રહેવું યોગ્ય ગણાશે.

(3:28 pm IST)