રાજકોટ
News of Wednesday, 25th November 2020

આવતીકાલની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં એલઆઇસી કર્મચારીઓ પણ જોડાશે

રાજકોટ તા. રપઃ કેન્દ્ર સરકારની કામદાર તથા શ્રમિક વિરોધી આર્થિક નીતિઓના વિરોધમાં અપાયેલા આવતીકાલ તા. ર૬મી નવેમ્બરના રાષ્ટ્રવ્યાપી બંધના એલાનમાં જીવન વીમા સંસ્થા 'એલઆઇસી ઓફ ઇન્ડીયા'ના વર્ગ-૩ના કર્મચારીઓ પણ જોડાઇને હડતાલ પાડશે તેમ સૌરાષ્ટ્ર-કચ્છના વીમા ક્ષેત્રના અગ્રણી યુનિયન લીડર હર્ષદ પોપટે જણાવ્યું છે.

શ્રી પોપટે વધુમાં જણાવ્યું છે કે, એલઆઇસી ઓફ ઇન્ડીયામાં રહેલી પોતાની હિસ્સેદારી વેચવા એલઆઇસીનો આઇપીઓ માર્કેટમાં લાવવાના પગલા તથા નવી પેન્શન સ્કીમ સહિતના મુદાઓના વિરોધમાં એલઆઇસી કર્મચારીઓ આ હડતાલમાં જોડાશે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના ર૭પ કર્મચારીઓ તથા રાષ્ટ્રીય સ્તરે મળીને કુલ ૪૦ હજાર જેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાઇને સરકારની આર્થિક નીતિઓનો સજજડ વિરોધ કરશે.

(2:33 pm IST)