News of Monday, 25th June 2018
સાંગણવા ચોક વિસ્તારમાં ઓછા દબાણે પાણીની રાવ
રાજકોટ તા. રપ :.. વોર્ડ નં. ૭ ના સાંગણવા ચોક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઓછા દબાણે પાણી મળવાની ફરીયાદ હોવાનું જયદેવ ઓઝાની યાદીમાં જણાવાયું છે.
અનેક વખત રજૂઆતો કરવા છતાં ઉપલા અધિકારીઓ ધ્યાન આપતા ન હોય લોકોમાં રોષની લાગણી પ્રસરી છે.
સવારે પ વાગ્યે નળ આવે છે. પરંતુ વાલ્વમેન પુરો વાલ્વ ખોલતા ન હોય ર૦ મીનીટમાં એક બે બેડા પાણી માંડ મળી શકે છે. આ બાબતે ઘટતું કરે તેવી સાંગણવા ચોકના લતાવાસીઓ વતી જયદેવ ઓઝા (મો. ૯૮૭૯ર ૭૦૧૦૧) એ માંગણી ઉઠાવી છે.
(3:44 pm IST)