News of Wednesday, 25th May 2022
મોડી સાંજે રાજકોટના સરધાર પંથકમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડ્યું
બાજરી-તલ સહિતના ઉનાળું પાકને નુકસાન થતા ખેડૂતોમાં ચિંતા
રાજકોટ : આજે મોડી સાંજે રાજકોટના સરધાર પંથકમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. પ્રિમોન્સુન એક્ટિવિટી સક્રિય થતાં મેઘો મહેરબાન થયો હતો ગરમીમાંથી સરધારવાસીઓ રાહત મળી હતી. બાજરી-તલ સહિતના ઉનાળું પાકને નુકસાન થતા ખેડૂતોમાં ચિંતા પેઠી છે.
(9:59 pm IST)