રાજકોટ
News of Saturday, 25th May 2019

બજરંગવાડીમાં દાઝી જતાં ૩૨ વર્ષિય રેહાના દલનું મોત

રાજકોટ તા. ૨૫: બજરંગવાડી શેરી નં. ૧૪માં રહેતી રેહાનાબેન ઇબ્રાહીમભાઇ દલ (ઉ.૩૨)નું દાઝી જતાં મોત નિપજ્યું છે.

રેહાનાબેન તા. ૧૮ના સવારે સાતેક વાગ્યે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ ગત રાત્રે દમ તોડી દેતાં એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પીએસઆઇ એમ. ડી. વાળા અને શિવભદ્રસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર રેહાનાબેન છ બહેન અને એક ભાઇમાં વચેટ તથા અપરિણીત હતી. ગેસ પર ચા બનાવતી વખતે ચૂંદડી સળગતાં લપેટમાં આવી જતાં દાઝી ગયાનું પરિવારજનોએ પોલીસની પ્રાથમિક પુછતાછમાં કહ્યું હતું. બનાવથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

(3:33 pm IST)