સિનર્જીમાં કોરાનાનો ૧ પોઝીટીવ કેસ
અન્ય બે શંકાસ્પદ લક્ષણોના દર્દીઓના રીપોર્ટની જોવાતી રાહ
રાજકોટ, તા.રપ : કોરોના વાયરસની મહામારી વધી રહી છે ત્યારે ગઇકાલે રાજકોટ બે દર્દીઓના સેમ્પલ પોઝીટીવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની સિનર્જી મલ્ટી સુપરસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં ગઇકાલે એક દર્દીનો પોઝીટીવ કેસ આવ્યો હતો. જયારે અન્ય બે કોરાનાના લક્ષણોવાળા શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ રીપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે જેની રાહ જોવાઇ રહી છે. સિનર્જી હોસ્પિટલમાં દાખલ પોઝીટીવ દર્દીની સ્થિતિ સ્થીર હોવાનું તેની સારવાર કરતા ડો. જયેશ ડોબરીયાએ જણાવ્યું છે. સિનર્જી હોસ્પિટલના ડો. જયેશ ડોબરીયાએ જણાવ્યું છે કે, સિનર્જી હોસ્પિટલ ખાતે કોરોનાના દર્દી માટે સદંતર અલગ વિભાગ છે. નેગેટીવ-પોઝીટીવ પેન્શટવાળી સુવિધા ધરાવતા રૂમમાં રાખવામાં આવે છે. સિનર્જી હોસ્પિટલ ખાતે અન્ય તબીબી વિભાગ ચાલુ છે.