News of Monday, 25th March 2019
સગીરાનું અપહરણ અને બળાત્કારના ગુનામાં એક વર્ષથી ફરાર મહેશ વાઘેલા ઝડપાયો
રાજકોટઃ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર સિધ્ધાર્થ ખત્રીની સૂચનાથી કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ એમ.આર.પરમાર તથા પીએસઆઇ એમ.કે.ઝાલા, હેડકોન્સ હિરાભાઇ રબારી, હેડ કોન્સ હિતેશભાઇ ગઢવી, બુટાભાઇ, હરેશભાઇ,દેવેન્દ્રસિંહ,મનીષભાઇ, અજાતભાઇ લોખીલ તથા દિલીપભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે હેડકોન્સ હિરાભાઇ રબારી અને હિતેષભાઇ ગઢવીને મળેલી બાતમીના આધારે મહેશ વલ્લભ વાઘેલા (ઉ.વ.૨૬)(રહે.મયુરનગર) જગદીશભાઇ કોળીના કારખાનામાં મૂળ નવાગામ)ને રાજમોતી મીલ પાસેથી ઝડપી લીધો હતો. પકડાયેલ મહેશ સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઇ અલગ-અલગ જગ્યાએ લઇ જઇ સગીરા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ ગુનામાં તે એક વર્ષથી ફરાર હતો.
(3:43 pm IST)