રાજકોટ
News of Monday, 25th March 2019

કાલે રાજકોટમાં આયકર કરદાતાઓ માટે ઓપન હાઉસ

ચીફ કમિશ્નર ઓફ ઇન્કમટેકસ અજય દાસ મેહરોત્રા ફરીયાદ અંગે ચર્ચા કરશે

રાજકોટઃ તા.૨૫, રાજકોટ ઇન્કમટેકસ કચેરી ખાતે આવતીકાલે મુખ્ય આયકર કમિશ્નરની શ્રી અજય દાસ મેહરોત્રા દ્વારા ઓપન હાઉસ યોજાયું છે. જેમાં કરદાતાઓ તેના પ્રશ્નોની ચર્ચા કરશે.

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ, નવી દિલ્હીના દિશાનિર્દેશો અનુસાર મુખ્ય આયકર આયુકત, રાજકોટ દ્વારા  મંગળવાર, તા. ૨૬ના બપોરે ૩ થી ૪ સુધી રાજકોટના કરદાતાઓ તેમના પ્રતિનિધિઓ અને વ્યવસાયીઓ માટે એક ઓપન હાઉસ નું આયોજન કરવામાં આવ્યું છે.  ઓપન હાઉસ દરમ્યાન કરદાતાઓ તરફથી પ્રાપ્ત  થતી  ફરીયાદોનું આયકર વિભાગ દ્વારા ત્વરીત નિવારણ કરવામાં આવે છે. રાજકોટના કરદાતાઓ તેમના  પ્રતિનિધિઓ અને નાગરિકો દ્વારા આપવામાં આવતા સૂચનો પર પૂરતું ધ્યાન આપવામાં આવશે અને જયાં જરૂર હોય ત્યાં પગલાં ભરવામાં આવશે,

 રાજકોટના કરદાતાઓ તેમના પ્રતિનિધિઓ અને વ્યવસાયીઓ તથા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ કોઈ પણ પ્રકારની પૂર્વ એપોઇન્ટમેન્ટ વગર મુખ્ય આવકવેરા કમિશનર શ્રી અજય દાસ મેહરૌત્રાને મંગળવાર, તા. ૨૬નાં   રોજ બપોરે  ૩ થી ૪ સુધી છઠ્ઠા માળે, આયકર ભવન, રેસકોર્સ રિંગ રોડ,  રાજકોટ સ્થિત આવકવેરા કચેરીમાં તેમના કક્ષમાં મળવાની તકનો અવશ્ય લાભ લેવા અનુરોધ કરાયો છે.

(11:48 am IST)