રાજકોટ
News of Thursday, 25th February 2021

કિસાનપરામાં પ્રૌઢાએ ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો

અગાઉ ઈન્સ્યુરન્સનું કામ કરતાઃ લોકડાઉન પછી નોકરી પર જવાનું બંધ કરી દીધુ હતું

રાજકોટ, તા. ૨૫ :. કિશાનપરામાં આવેલ એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાએ ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા છે.

મળતી વિગત મુજબ કિશાનપરા શેરી નં. ૩માં શ્રી પેલેસ એપાર્ટમેન્ટમાં ૨૦૩ નંબરના ફલેટમાં રહેતા તૃપ્તીબેન નિતીનભાઈ ત્રિવેદી (ઉ.વ. ૫૬)એ પોતાના ઘરે પંખાના હૂકમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનો જોઈ જતા તેને તાકીદે નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. તૃપ્તીબેનને સંતાનમાં એક પુત્ર છે. તે અગાઉ ઈન્સ્યુરન્સ નું કામ કરતા હતા. લોકડાઉન પછી તેને નોકરી પર જવાનું પણ બંધ કરી દીધુ હતુ અને ચિંતામાં રહેતા હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે એ-ડિવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. કે.સી. સોઢાએ મહિલાના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

(3:59 pm IST)