જૂના ઝઘડાનો ખાર રાખી થોરાળાના સિધ્ધાર્થ મકવાણાને છરી ઝીંકાઇ
કાકા શામજીભાઇ તેના બે પુત્ર ચિરાગ અને નાગેશ અને દિલીપે હુમલો કર્યો
રાજકોટ,તા. ૨૫: ક્રિષ્ના પાર્કની બાજુમાં આવેલ વાડી પાસે જૂના ઝઘડાનો ખાર રાખી યુવાન પર તેના કાકા અને બે પુત્રો સહિત ચાર શખ્સોએ છરી વડે હુમલો કરતા તેને સારવાર માટે ખસેડાયો છે.
મળતી વિગત મુજબ ન્યુ થોરાળા શેરી નં.૧માં રહેતો સિધ્ધાર્થ જીવણભાઇ મકવાણા (ઉવ.૨૦) પોતાના ઘર પાસે હતો ત્યારે મિત્ર રોહીત રાઠોડનો તેડી જવા બાબતે ફોન આવતા પોતે મિત્રને તેડવા માટે ક્રિષ્નાપાકસ્ની બાજુમાં આવેેલી અને તેના બે પુત્ર ચિરાગ અને નાગેશ તથા તેનો મિત્ર દિલીપ ચૌહાણ સહિતે આવીને અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી સિધ્ધાર્થ સાથે ઝઘડો કરી ઉશ્કેરાઇને છરી વડે હુમલો કર્યો હતો. દેકારો બોલતા ચારેય નાશી ગયા હતા. ઝપાઝપીમાં સોનાનો ચેઇન પણ લૂંટી ગયનો સિધ્ધાર્થે આક્ષેપ કર્યો છે. બાદ સિધ્ધાર્થને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ અંગે થોરાળા પોલીસ મથકના પીએસઆઇ વડાવીયાએ તપાસ હાથ ધરી છે.