રાજકોટ
News of Thursday, 25th February 2021

આજી નદીનો બેઠો પુલ ફરી શરૂ થતા રાહતની લાગણી

 સામાકાંઠે જવા માટે આજી નદીમાં આવેલ બેઠો પુલ બીસ્માર થતા છેલ્લા ઘણા સમયથી બંધ હતો. પરંતુ કનૈયા ગ્રુપ બેડીપરા દ્વારા સતત રજુઆતો કરાતા સમારકામ સાથે આ પુલ ફરી સેવારત કરવામાં આવતા લોકોમાં રાહતની લાગણી પ્રસરી છે. વોર્ડ નં. ૬ ના કોર્પોરેટરો અને આ પ્રશ્ન હલ કરવામાં જે લોકોનો સહયોગ મળ્યો તે સૌનો કનૈયા ગ્રુપ દ્વારા આભાર વ્યકત કરાયો હતો.

(3:14 pm IST)