રાજકોટ
News of Tuesday, 25th January 2022

વેરા શાખાનો સતત બીજા દિવસે સપાટોઃ બાકી વેરો વસુલવા અમીન માર્ગના એક એપાર્ટમેન્ટના ૯ નળ કનેકશન કટ્ટ કર્યા

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશનની વેરા શાખા દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨નો બાકી મિલ્કત વેરો વસુલવા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જે અન્વયે અમીન માર્ગ પર આવેલ પરમ પ્રકાશ એપાર્ટમેન્ટના ૯ નળ કનેકશન કપાત કર્યા હતા તથા બે મિલ્કતો સીલ, ૨૫ મિલ્કતોને જપ્તીની નોટીસ આપવામાં આવી હતી. આજે રૂ. ૧.૬૯ કરોડની વસુલાત કરવામા આવી છે.

(3:52 pm IST)