રાજકોટ
News of Tuesday, 25th January 2022

મ.ન.પા દ્વારા કાલે ૭૩માં પ્રજાસતાક પર્વની ઉજવણી

સેન્ટ્રોલ ઝોન કચેરી ખાતે મેયર ડો.પ્રદિપ ડવ રાષ્ટ્રધ્વજને સલામી આપશે

રાજકોટ,તા. ૨૫ : મહાનગરપાલિકા દ્વારા આવતી કાલે તા. ૨૬ બુધવારના રોજ ૭૩માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ડો. આંબેડકર ભવન સેન્ટ્રલ ઝોન કચેરીના ગ્રાઉન્ડમાં સવારે ૯ કલાકે ધ્વજવંદન અને સલામી સમારોહ કાર્યક્રમ યોજાશે. મેયર ડો.પ્રદિપ ડવ રાષ્ટ્રધ્વજને સલામી આપશે અને રાષ્ટ્રગીતનું ગાન થશે. ત્યારબાદ મેયરનું ઉદબોધન યોજાશે તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઇ ડી.પીપળીયાએ જણાવ્યુ હતું.

પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રાજકોટ મહાનગરપાલિકાના શ્રેષ્ઠ સફાઇ કામદારોનું મહાનુભાવો હસ્તે સન્માન કરવામાં આવશે. કોરોનાની વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખી આ કાર્યક્રમમાં સરકારની ગાઇડલાઇનનું પાલન કરાશે. આ પ્રસંગે સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ, પાર્ટીના હોદેદારો, કોર્પોરેટરો અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

(3:20 pm IST)