સીદીકભાઇ માણેકની પુણ્યતિથિ નિમિતે કાલે બુધવારે રકતદાન કેમ્પ
સિવિલ હોસ્પિટલના લાભાર્થે ૪૭ ગ્રુપ અને શ્રીમદ રાજચંદ્ર સેવાગ્રુપ દ્વારા આયોજન
રાજકોટઃ સિવિલ હોસ્પિટલના થેલેસેમીયાગ્રસ્ત બાળકો, કેન્સર, કિડનીના તથા અન્ય જરૂરીયાતમંદ દર્દીઓને વિનામુલ્યે બ્લડ મળી રહે તેવા શુભઆશયથી મુર્હમ સિદીકભાઇ અકબરભાઇ માણેકની પુણ્યતિથિ નિમિતે ૪૭ ગ્રુપ દ્વારા તથા શ્રીમદ રાજચંદ્ર સેવાગ્રુપ સંયુકત ઉપક્રમે તા.૨૬ બુધવારે સવારે ૯ થી ૪ વાગ્યા સુધી ઢેબરકોલોની મદ્રેસાની બાજુમાં રાજકોટ ખાતે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
આ કેમ્પમાં શબ્બીરભાઇ સિદીકભાઇ માણેક, ઇમરાનભાઇ, સિદીકભાઇ માણેક, આસીકભાઇ સિદીકભાઇ માણેક, સલીમભાઇ પીલુડીયા, રિયાઝભાઇ ઉમરેટીયા, અફઝલભાઇ રાઉમાં, વિજયસિંહ જાડેજા, ધર્મેશભાઇ જાદવ, આરીફભાઇ પીલુડીયા, હિતેન્દ્રસિંહ ઝાલા, તથા શ્રીમદ રાજચંદ્ર સેવાગ્રુપના વિનય જસાણી (૯૪૨૮૨ ૦૦૬૬૦), દિપ કોટેચા, સતિષ સાગઠીયા, વૈભવ વખારીયા, તેમજ સિવિલ બ્લડબેંકના એમડી પેથોલોજીસ્ટ ડોકટર્સની ટીમ માનદ સેવા આપશે. રકતદાતાઓને બહોળી સંખ્યામાં રકતદાન કરવા વિનંતી કરાઇ છે.