ભાજપ કાર્યાલયે કાલે પ્રજાસત્તાક દિન નિમિતે નિતીન ભારદ્વાજના હસ્તે ધ્વજવંદન
તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા કમલેશ મિરાણીનો અનુરોધ
રાજકોટ તા. રપઃ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે આવતીકાલે તા. ર૬ના મંગળવારે, સવારે ૭-૧પ કલાકે પ્રજાસત્તાક દિન નિમિતે શહેર ભાજપ કાર્યાલય શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજના હસ્તે સવારે ૮-૩૦ કલાકે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમની સંપુર્ણ વ્યવસ્થા કાર્યાલય ખાતેથી શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી સંભાળી રહ્યા છે. કાર્યક્રમમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યાકર્તાઓને ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જાહેર અનુરોધ કરેલ છે.