News of Saturday, 25th January 2020
પ્રજાસત્તાક પર્વ નીમીતે ભુદેવો ઘરે-ઘરે જઇ રાષ્ટ્રધ્વજ અર્પણ કરશે
રાજકોટઃ સૌરાષ્ટ્ર - કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે શહેરના સમસ્ત ભુદેવોના ઘેર-ઘેર રાષ્ટ્રધ્વજ અર્પણ કરાશે. આ દિવસે શાળાઓમાં, બેંકોમાં, સરકારી કચેરીઓ, ન્યાયાલયોમાં ધ્વજ લહેરાવવામાં આવે છે. ત્યારે ભુદેવો દ્વારા ઘરે-ઘરે રાષ્ટ્રધ્વજ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાશે. સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ, રાજકોટ જીલ્લાના પ્રમુખ પંકજભાઇ રાવલની આગેવાનીમાં આજે શહેરમાં વસતા ભુદેવોના ઘેર-ઘેર જઇ રાષ્ટ્રધ્વજ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાશે. તસ્વીરમાં જયંતભાઇ ઠાકર અને એડવોકેટ સમીર ખીરા નજરે પડે છે.
(12:53 pm IST)