રાજકોટ
News of Saturday, 24th October 2020

સીવીલ હોસ્પિટલને લગતા પ્રશ્નો હોય તો જણાવો : જયંત ઠાકર

રાજકોટ તા. ૨૪ : પીડીયુ સરકારી  સીવીલ હોસ્પિટલના કાઉન્સેલર જયંત ઠાકરે એક યાદીમાં જણાવેલ છે કે કોરોનાની મહામારી ધીરે ધીરે હળવી થઇ રહી છે. આવા કપરા સમયમાં ડોકટરો અને નર્સીંગ સ્ટાફ ખુબ સરસ રીતે પોતાની કામગીરી બજાવી રહ્યા છે. તેમ છતા સીવીલ હોસ્પિટલને લગતા કઇપણ પ્રશ્નો હોય તો લેખિત બે નકલમાં ભાજપ કાર્યાલય મંત્રીને સાંજે ૪ થી ૬ માં રૂબરૂ પહોંચાડવા અથવા મો.૯૮૨૪૮ ૨૬૭૨૮ ઉપર સંપર્ક કરવા અંતમાં જયંતભાઇ ઠાકરે જણાવેલ છે. જેથી આ અંગે હોસ્પિટલ અધિક્ષક ડો. પંકજ બુચને રજુઆત કરી શકાય.

(3:40 pm IST)