News of Friday, 24th September 2021
૩૩૦ લોકો વેકસીન લઈ સુરક્ષીત બન્યા
રાજકોટઃ સાર્વજનિક સેવા સમિતિ દ્વારા પ્રમુખ સ્વામી ઓટડીટોરીયમ સામેના ગ્રાઉન્ડમાં, રૈયા રોડ ખાતે રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર શ્રી અરોરાના માર્ગદર્શન હેઠળ વેકસિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૩૦ લોકોએ આ વેકસીન ડોઝ લીધા હતા. બે દિવસ દરમ્યાન કુલ ૩૩૦ લોકો વેકસીન લઈ સુરક્ષિત બન્યા છે, આ કેમ્પને સફળ બનાવવામાં રાજુભાઈ જુંજા, સોનલબેન ડાંગરીયા, મીરાબેન ડોબરીયા, પરેશભાઈ કુકડીયા, કરણભાઈ જુંજા, દર્શનભાઈ પંડયા, જતીનભાઈ ભટ્ટ સમિતિના સભ્યો વગેરેએ જહેમત ઉઠાવી હતી.
(3:57 pm IST)