શહેરમાં બપોર સુધીમાં કોરોના કેસ '૦' : ગઇકાલે ૨ કેસ નોંધાયા
હાલ ૫ દર્દીઓ સારવારમાં: કુલ ૪૨,૮૧૯ કેસ થયાઃ આજ દિન સુધીમાં ૪૨,૩૫૬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી
રાજકોટ તા. ૨૪ : શહેરમાં કોરોનાં હવે લગભગ કાબુમાં આવી ગયો છે. આજે પણ બપોર ૧ર સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે ગઇકાલે કોરોનાના ૨ કેસ નોંધાયા છે.
શહેરમાં આજે બપોર સુધીમાં કોરોનાનો એકેય રિપોર્ટ પોઝિટિવ નહિ આવતા છેલ્લા કેટલાક દિવસથી બપોર સુધીમાં '૦' કેસ નોંધાયો છે. આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં '૦' કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૪૨,૮૧૪ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૪૨,૩૫૬ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૨૧૮૫ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૨ કેસ નોંધાયા છે. આજ દિન સુધીમાં ૧૩,૮૭,૫૩૦ લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૮૧૯ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૦૯ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૯૨ ટકા એ પહોંચ્યો છે. હાલ ૫ દર્દીઓ સારવાર હેઠળ છે.