રાજકોટ
News of Friday, 24th September 2021

પોપટપરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગંદા પાણીનું વિતરણઃ રોગચાળાનો ભય

આ સમસ્યા તાકીદે હલ કરવા પુર્વ કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા દ્વારા મ્યુ. કમિશ્નરને રજુઆત

રાજકોટ તા. ર૪: સ્માર્ટ સીટીની વાતો વચ્ચે છેલ્લા ઘણા સમયથી વોર્ડ નંબર ૩ ના પોપટપરા, રઘુનંદન સોસાયટી સહિતના વિસ્તારોમાં મ.ન.પા.ના પાપે લોકો ડહોળું પ્રદુશિત પાણી પીવા મજબુર છે. અધિકારીઓ અને ઇજનેરોની ફૌજ હોવા છતાં શાસકો લોકોની પ્રાથમિક જરૂરિયાત પણ સંતોષકારક પુરી કરવામાં નિષ્ફળ નિવડયા હોવાનો આક્ષેપ પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા દ્વારા કરવામાં આવ્યો છે.આ વિસ્તારમાં વસવાટ કરતા લોકો પાણીજન્ય રોગનો ભોગ બને તે પહેલા તાકીદે સમસ્યા ઉકેલવા પુર્વ કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા દ્વારા કમિશનરને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે. 

(3:31 pm IST)