કોઠારીયાની લેન્ડગ્રેબીંગની ફરીયાદને સ્ટે કરવા ગુજરાત હાઇકોર્ટનો હુકમ
રાજકોટ, તા. ર૪ : કોઠારીયાની જમીનમાં લેન્ડગ્રેબીંગ અંગેની સરકાર દ્વારા-૪ આરોપીઓ સામે ફરીયાદ કરવામાં આવેલ જે ફરીયાદ સામે આરોપી દિલીપભાઇ મસરાણીએ ગુજરાત હાઇકોર્ટમાં સદરહું ફરીયાદ સામે સ્ટે મેળવવા તેમજ તેઓને તેનોની સામેની ફરીયાદ ખોટી અને પાયાવિહોણી હોવાની રજુઆત ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ હાર્દિક જે. કરથીયા તથા શ્રી ભુપેન્દ્ર ટી. ગોહેલ મારફતે રજુઆત કરવામાં આવેલ. તથા જે અરજી ગુજરાત હાઇકોર્ટમાં સુપ્રિમ કોર્ટના લેન્ડમાર્ક જજમેન્ટની દલીલો રજુ કરતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા આરોપી દિલીપભાઇ મસરાણી સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના રજી.ની એફ.આઇ.આર. ને સ્ટે કરવાનો હુકમ કરેલ છે. ઉપરોકત કામમાં હાઇકોર્ટમાં દિલીપભાઇ મસરાણી વતી એડવોકેટ હાર્દિક જે. કરથીયા તથા ભૂપેન્દ્ર ટી ગોહેલ રોકાયેલ હતા.