રાજકોટ
News of Friday, 24th September 2021

ઘંટેશ્વર ૨૫ વારીયામાં ચાવીના કારીગરની મશ્કરી કરી મારકુટ

એક મહિલાને પણ મારામારીમાં ઇજા

રાજકોટ તા. ૨૪: ઘંટેશ્વર પચ્ચીસ વારીયા કવાર્ટરમાં રહેતાં અને ચાવી બનાવવાનું કામ કરતાં શીખ યુવાન અજયસિંઘ રાજુની (ઉ.૨૫)ને ઘર પાસે સાંજે છએક વાગ્યે રાણાભાઇ, મીરાબેન સહિતે ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

જ્યારે પડોશમાં જ રહેતાં પ્રેમીબેન નાથાભાઇ ભાટી (ઉ.૪૦) પણ પોતાને અજાણ્યાએ મારકુટ કર્યાની રાવ સાથે સિવિલમાં દાખલ થયા હતાં. અજયસિંગના ભત્રીજાના કહેવા મુજબ અજયસિંગ તેના સગાના ઘરેથી ચાલીને આવતો હતો ત્યારે રસ્તામાં બે છોકરાએ તેની મશ્કરી કરી હતી. એ કારણે બોલાચાલી થયા બાદ બીજા લોકોએ ભેગા થઇ મારકુટ કરી હતી. 

(2:46 pm IST)