રાજકોટ
News of Thursday, 24th September 2020

'ગૌમય દિપાવલી' વિષે યોજાયો વેબીનાર

રાજકોટઃ રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા 'ગોમય દિવા- કામધેનુ દિપાવલી' વિષયક રાષ્ટ્રીય વેબીનારનું આયોજન કરાયું હતું. ગૌ આધારીત ઉદ્યોગો દ્વારા સ્વાવલંબન અને સશકિતકરણ કંઈ રીતે કરી શકાય તે અંગે રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભભાઈ કથીરીયા તેમજ શ્યામ જાજુજી (રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, ભાજપ), શશી અગ્રવાલ (રાષ્ટ્રીય કામધેનુ આયોગ- દિલ્હી), નિર્મલ જૈન (મેયર, પૂર્વ દિલ્હી), જય પ્રકાશ અગ્રવાલ (મેયર, ઉત્તર દિલ્હી), અનામિકાજી (મેયર, દક્ષિણ દિલ્હી) તેમજ દિલ્હીનાં સ્થાનિક ધારાસભ્યો, કોર્પોરેટર્સ વિ.અનેક અગ્રણીઓએ ગાયના ગોબરમાંથી દિવા તેમજ પંચગવ્યની વસ્તુઓ કઈ રીતે બનાવવી તે અંગે માર્ગદર્શન પુરૂ પાડયુ હતું.

(4:06 pm IST)