લોકડાઉનમાં થયેલ સેવા કાર્યોની ઇ-બુકનું કાલે નીતિનભાઇ હસ્તે લોન્ચીંગ
કાર્યકર્તાઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ થશે
રાજકોટ,તા. ૨૪: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની સંયુકત યાદીમાં જણાવાયું છે કે તા. ૨૫ના જનસંઘના પંડિત દીનદયાલ ઉપાધ્યાજીનો જન્મદિવસ છે. ત્યારે તેના સાદગીભર્યા વિચારો અને તેની રાષ્ટ્રનિષ્ઠાનું લોકોમાં સિંચન થાય તેવા આશયથી શહેર ભાજપ દ્વારા લોકડાઉન દરમ્યાન વોર્ડમાં અનેકવિધ સેવાકાર્યોની પ્રવૃતિઓના ફોટોગ્રાફસભર માહિતીનું વોર્ડવાઇઝ સચિત્ર નિરૂપણ કરતી ઇ-બુંકનું લોન્ચીંગ સાંજે ૫:૩૦ કલાકે શહેર ભાજપ કાર્યાલય ખાતેથી પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજના હસ્તે કરાશે.
આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ઇ-બુક ઇન્ચાર્જ નીતીન ભુત, સહાયક રાજન ઠક્કર સહીતના સાથે સોશ્યલ મીડીયા ટીમ ઉપસ્થિતી રહી કાર્યકર્તાઓને વીડીયો કોન્ફરન્સના માધ્યમથી આ ઇ-બુકનું લોકાપર્ણ કરશે. આ ઇ-બુક લોન્ચીંગ કાર્યક્રમને કાર્યકર્તાઓને નિહાળવા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ અનુરોધ કરેલ છે. શહેર ભાજપ કાર્યાલય ખાતેથી આ કાર્યક્રમની વ્યવસ્થા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી સંભાળી રહ્યા છે.