રાજકોટ
News of Thursday, 24th September 2020

કોલેજીયન વિદ્યાર્થીની માનસીનું લો બ્લડપ્રેશર થઇ જતાં મોત

કુવાડવા રોડ પર સરદાર પટેલ કોલોનીમાં બનાવ : લાડકી દિકરીના મોતથી લીંબાયસીયા પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૪: સરદાર પટેલ કોલોનીમાં કોલેજીયન પટેલ યુવતિનું અચાનક બેભાન થઇ જતાં મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ કુવાડવા રોડ પર મારૂતિનગર-૩ સરદાર પટેલ કોલોનીમાં રહેતી માનસી મહેશભાઇ લીંબાસીયા (ઉ.વ.૧૮) નામની પટેલ યુવતિ સાંજે બાથરૂમમાં હતી ત્યારે અચાનક તબિયત બગડતાં આનંદ હોસ્પિટલ, ગોકુલ હોસ્પિટલ અને ત્યાંથી સિવિલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ જાણ કરતાં બી-ડિવીઝનના હેડકોન્સ. હિતેષભાઇ કોઠીવારએ જરૂરી કાર્યવાહી કરી હતી.

માનસી એક ભાઇથી મોટી હતી અને કણસાગરા કોલેજમાં અભ્યાસ કરતી હતી. તેના પિતા મહેશભાઇ ચાંદીકામ કરે છે. તેમના કહેવા મુજબ અચાનક લો બી.પી. થઇ જતાં તબિયત બગડી હતી. અગાઉ પણ આ બિમારીની દવા ચાલુ હતી. યુવાન દિકરીના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

(12:59 pm IST)