રાજકોટ
News of Tuesday, 24th September 2019

તાણ અને આંચકીની બિમારી ધરાવતી ૩ વર્ષની માહીનું મોત

એ.જી. સોસાયટી પાછળ રૂરલ હાઉસીંગમાં બનાવઃ સુખડીયા જૈન પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૪: કાલાવડ રોડ પર એ.જી. સોસાયટી પાછળ રૂરલ હાઉસીંગ બોર્ડ શેરી નં. ૧૪માં રહેતાં સુખડીયા જૈન હિતેષભાઇ પઢીયારની દિકરી પૂનમ (માહી) (ઉ.વ.૩)ને તાણ આંચકીની બિમારી હોઇ ગઇકાલે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં કે.ટી. ચિલ્ડ્રન વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન આ માસુમ બાળાએ અંતિમ શ્વાસ લઇ લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

માહી એક ભાઇથી નાની હતી. તેના પિતા હિતેષભાઇ ઇલેકટ્રીકનું કામ કરે છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:23 pm IST)