રાજકોટ
News of Monday, 24th September 2018

ગાંધીધામના નિકેતન ચાવડાનું મોરબીના દેવળીયામાં બાઇક સ્લીપ થઇ જતાં મોત

રાજકોટ તા. ૨૪: ગાંધીધામમાં વેલફર્ન સીટીમાં રહેતાં નિકેતન નાગરભાઇ ચાવડા (ઉ.૨૨) નામના યુવાનનું મોરબીના હળવદ પાસેના દેવળીયા ગામે વાહન અકસ્માતમાં મોત થયું છે.

જાણવા મળ્યા મુજબ નિકેતન ચાવડા  તા. ૨૦/૯ના સાંજે છએક વાગ્યે બાઇક હંકારી મોરબીના હળવદ તાબેના દેવળીયા ગામે જતો હતો ત્યારે બાઇક સ્લીપ થતાં ઇજા થતાં જેતપર સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયેલ. અહિ ગત સાંજે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી  મોરબી પોલીસને જાણ કરી હતી. (૧૪.૬)

 

(3:57 pm IST)