News of Saturday, 24th July 2021
આજે બપોર સુધીમાં ૪૯૭૯ લોકોનું રસીકરણ
રાજકોટઃ મ.ન.પા. દ્વારા કોરોના સામે સુરક્ષા આપતી રસી મુકવાના અભિયાન અંતર્ગત આજે બપોરે ૧ વાગ્યા સુધીમાં ૪૯૭૯ જેટલા શહેરીજનોનું રસીકરણ કરાયું હતું. જેમાં ૧૮ થી ૪૪ વર્ષના ૩૦૬૩ અને ૪પ થી વધુની ઉંમરના ૧૯૧૬ લોકોએ રસી મુકાવી હતી. તસ્વીરમાં લક્ષ્મીવાડી આરોગ્ય કેન્દ્રમાં રસી મુકાવવા માટે લોકોની લાઇનો લાગી હતી. તે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:42 pm IST)