રાજકોટ
News of Wednesday, 24th June 2020

રાજકોટના કાલાવડ રોડ પર વીરડા વાજડીમાં નદીમાં ડૂબતા એક જ કુટુંબના યુવાન અને સગીરના મોત : સુરેલા પરિવારમાં માતમ છવાયો

રાજકોટ: વીરડા વાજડી ગામમાં રહેતા સુરેલા પરિવારના 2 સભ્યો ધીરૂ મુકેશભાઈ ઉ.20 અને અર્જુન પુનાભાઈ ઉ.15ના નદીમાં ડૂબી જતાં મોત થયા છે. મરનાર બન્ને યુવાનો કાકા મોટા બાપુના ભાઈઓ છે. બુધવારે કારખાનામાં રજા હોઈ, નદીએ ન્હાવા ગયા હતા અને કાળનો ભેટો થયો. આ ઘટનાની જાણ થતાં સુરેલા પરિવારમાં માતમ છવાય ગયો છે.

લોકોએ બન્ને યુવાનોના શરીર નદી બહાર કાઢ્યા હતા અને 108ના તબીબે બન્ને ને તપાસ કરીને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બાબતે રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

(7:43 pm IST)