રાજકોટની મનિષાબેન સંચાણીયાને જામનગરમાં પતિ ધર્મેશે મોડી રાતે પટ્ટા-સાવરણીથી ફટકારી
ચારિત્ર્ય પર શંકા કરી મારકુટ કર્યાનો આક્ષેપઃ સિવિલમાં સારવાર હેઠળ
રાજકોટ તા. ૨૪: જામનગર સાસરૂ ધરાવતી અને રાજકોટ માવતર ધરાવતી કુંભાર પરિણીતા મનિષાબેન ધર્મેશ સંચાણીયા (ઉ.૩૪)ને રાત્રીના પતિ ધર્મેશે કમરપટ્ટા અને સાવરણીથી બેફામ માર મારતાં મોડી રાત્રે આ મહિલા રાજકોટ માવતરે આવી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
મનિષાબેનના માવતર યુનિવર્સિટી રોડ પર ગંગોત્રી પાર્ક રોડ રાધેકૃષ્ણ સોસાયટીમાં રહે છે. પિતાનું નામ કાનજીભાઇ નળીયાપરા છે. તેણીના લગ્ન તેર વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં એક પુત્ર છે. પતિ ખાણી-પીણીનો ધંધો કરે છે. પતિ ખોટી શંકા કરી અવાર-નવાર મારકુટ કરતો હોવાનું અને ગત રાત્રે અઢી વાગ્યે ફરીથી બેફામ માર માર્યાનું જણાવાયું હતું. હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે પ્ર.નગર પોલીસમાં એન્ટ્રી નોંધાવી જામનગર પોલીસને જાણ કરી હતી.