રાજકોટ
News of Monday, 24th June 2019

જામનગરના સંજયભાઇ જોષીનું પડધરીના મોવૈયા સર્કલ પાસે બાઇક સ્લીપ થતાં મોત

રાજકોટ તરફ કામ સબબ આવતી વખતે રસ્તામાં કાળ ભેટ્યો

રાજકોટ તા. ૨૪: પડધરીના મોવૈયા સર્કલ પાસે બાઇક સ્લીપ થઇ જતાં જામનગરના સંજયભાઇ વિનોદરાય જોષી (ઉ.૪૫)નું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.

જામનગર રણજીત સાગર રોડ પર સાધના કોલોની હાઉસીંગ બોર્ડ એલ-૯૧માં રહેતાં સંજયભાઇ જોષી ૨૧મીએ કોઇ કામ સબબ બાઇક હંકારી રાજકોટ તરફ આવી રહ્યા હતાં ત્યારે પડધરીના મોવૈયા સર્કલ પાસે બાઇક સ્લીપ થઇ જતાં કોઇએ સારવાર માટે રાજકોટ ખસેડ્યા હતાં. સારવાર દરમિયાન ગત મોડી રાત્રે તેમણે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ કાગળો કરી પડધરી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર બે ભાઇમાં મોટા હતાં અને બ્રાસ પાર્ટના કારખાનામાં કામ કરતાં હતાં. તે નાના ભાઇ સાથે રહેતાં હતાં.

(3:48 pm IST)