રાજકોટ
News of Monday, 24th June 2019

જૈન સોશ્યલ મહિલા ક્રિએટીવ ગ્રુપ દ્વારા એકઝીબીશન કમ સેલ

રાજકોટ : મહિલાઓની કલા શકિત નિખરે તેવા હેતુથી જૈન મહિલા ક્રિએટીવ ગ્રુપ દ્વારા તાજેતરમાં એકઝીબીશન કમ સેલનું આયોજન કરાયુ હતુ. મહીલા મોરચાના અધ્યક્ષ અંજલીબેન રૂપાણીના હસ્તે યોજાયેલ ઉદ્દઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે મેયર બીનાબેન આચાર્ય,   પોલીસ કમિશ્નર મનોજકુમાર અગ્રવાલ, પૂર્વ ડે. મેયર દર્શીતાબેન શાહ, જૈન અગ્રણી મનોજભાઇ ડેલીવાળા, સૂર સંસારના ભગવતીભાઇ, અંધ મહિલા મંડળના મંત્રી હીનાબેન મોદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.  હાલમાં સખી મહીલા મંડળ દ્વારા નવી યોજના બહાર પાડવામાં આવતા બહેનોનો વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. સમગ્ર સેલને સફળ બનાવવા પ્રમુખ પ્રફુલ્લાબેન મહેતા, ચેરમેન મીનાબેન વસા, બિન્દુબેન મહેતા, પ્રીતીબેન ગાંધી, કલ્પનાબેન પારેખ, દર્શનાબેન મહેતા, અલ્કાબેન ગોસ્વામી, નીતા મહેતા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:47 pm IST)