રાજકોટ
News of Tuesday, 24th May 2022

મંદિરમાં પુસ્‍તક પરબ

દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ-ઢોલરા પ્રેરિત સાહિત્‍યીક પ્રવૃતિ કરતી સંસ્‍થા સાહિત્‍ય સેતુ દ્વારા વાંચન જાગૃતિ અભિયાન અંતર્ગત વાંચનની પ્રવૃતિને વેગ મળે તેવા શુભાશયથી સાહિત્‍યપ્રેમી રસિકભાઇ મહેતા પુસ્‍તક પરબ નાના-મોટા સૌ કોઇની મનોકામના પૂર્ણ કરતા પેલેસ રોડ પર આવેલ આશાપુરા માતાજીના મંદિરમાં પુસ્‍તક પરબ યોજવામાં આવેલ. જેને ખૂબ સારો પ્રતિસાદ મળેલ લગભગ એક હજાર જેટલા ભકતોએ પુસ્‍તક પરબની પ્રત્‍યક્ષ મુલાકાત લીધેલ અને ૭૦ જેટલા વાંચનપ્રેમીઓ પુસ્‍તક વાંચન માટે લઇ ગયેલ અને પુસ્‍તક પરબની પ્રવૃતિને બીરદાવેલ. 

(4:22 pm IST)