News of Friday, 24th May 2019
કગથરાના પરિવારને સાંત્વના આપશે ભૂપેન્દ્રસિંહઃ રાત્રે રીબડામાં હાજરી
રાજકોટ બેઠકના વિજેતા મોહનભાઈને અભિનંદન
રાજકોટ, તા. ૨૪ :. રાજ્યના શિક્ષણ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજે બપોર બાદ રાજકોટ આવી રહ્યા છે. પડધરીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના યુવાન સુપુત્ર વિશાલનું અકસ્માતમાં દુઃખદ અવસાન થતા તેના દુઃખમાં ભાગ લેવા અને સાંત્વના આપવા તેઓ કગથરા પરિવારના નિવાસ સ્થાને જનાર છે. રાત્રે રીબડામાં પૂર્વ ધારાસભ્ય મહીપતસિંહ જાડેજાના જન્મ દિન નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં હાજરી આપશે.
શ્રી ચુડાસમાએ રાજકોટ બેઠકમાં ભાજપના મોહનભાઈ કુંડારીયાના વિજય બદલ ખુશી વ્યકત કરી મોહનભાઈને તેમજ પરિશ્રમની પરાકાષ્ટા સર્જનાર કાર્યકરોને અભિનંદન આપ્યા છે. ભાજપનો સાથ જાળવવા બદલ તેમણે મતદારોનો આભાર માન્યો છે.
(4:02 pm IST)