રાજકોટ
News of Friday, 24th May 2019

દેશવાસીઓએ પ્રમાણિક, વિકાસશીલ સરકારની પસંદગી કરી : ચેતનભાઈ રામાણી

રાજકોટ, તા. ૨૪ : રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્રના ખેડૂત અગ્રણી, ડાયરેકટર રા.લો.સંઘ ચેતનભાઈ રામાણીએ નિવેદનમાં જણાવેલ છે કે દેશભરમાં નરેન્દ્રભાઈ અને અમિતભાઈની રાષ્ટ્રવાદી સુનામી ફરી વળી છે. આ ચૂંટણીના પરિણામો સમગ્ર ભારત દેશ માટે અને ગુજરાત સૌરાષ્ટ્રના ખેડૂતો માટે, આમપ્રજા માટે આનંદદાયક છે. ભારતની જનતાએ ફરી એક વાર મજબૂત પ્રમાણીક, સ્થિર અને વિકાસશીલ સરકારની પસંદગી કરી છે. રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને જીતુભાઈ વાઘાણીને આ વિજયની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

(4:00 pm IST)