News of Friday, 24th May 2019
નરેન્દ્રભાઇમાં લોકોએ રાષ્ટ્રનાયકના દર્શન કર્યાઃ ડો. કમલેશ જોશીપુરા
રાજકોટ, તા. ર૪ : ઉન્નત અને મજબુત ભારત-વિકાસ લક્ષી અભિગમ, સલામત અને સુરક્ષિત ભારત માટે નરેન્દ્ર મોદીમાં લોકોએ રાષ્ટ્રનાયકના દર્શન કર્યા છે અને આ મત ભારતને વિશ્વગુરૂ બનાવવા માટેનો છે તેમ પ્રોફેસર ડો. કમલશે જોશીપુરાએ જણાવ્યું છે.
લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઇ મોદીને દેશની જનતાએ પ્રચંડ સમર્થન આપી અને એક કતૃત્વ આધારીત નેતૃત્વમાં વિશ્વાસ વ્યકત કર્યો છે અને વંશવાદને પૂર્ણ રીતે જાકારો આપેલ છે. નકારાત્મક અને સંસ્કૃતિ વિરોધી ડાબેરીઓને દેશના ખૂણે ખાચરેથી લોકોએ શોધીશોધીને સાફ કરી નાખ્યા હોવાનું કમલેશ જોશીપુરાએ જણાવેલ છે.
(3:55 pm IST)