રાજકોટ
News of Friday, 24th May 2019

રાજકોટનાં વોર્ડ નં.૭માં ઇ.વી.એમ.બદલાઇ ગયાનાં આક્ષેપો સાથે કોંગ્રેસે કલેકટર વિરૂદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી

ઇ.વી.એમ.નંબર અને બુથ નંબર સહીત રણજીત મુંધવાએ ફરીયાદ કરતા ખળભળાટ

રાજકોટ તા. ર૩ : આજે રાજકોટ લોકસભા બેઠક માટેની મતગણતરી દરમિયાન વોર્ડ નં.૭માં ઇ.વી.એમ. બદલાઇ ગયાના આક્ષેપો સાથે  કોંગ્રેસના રણજીત મુંધવા કલેકટર વિરૂદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છ.ે આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ કણકોટ ખાતે હાથ ધરાયેલ મતગણતરી દરમિયાન વોર્ડ નં.૭ના બુથ નં. ર૪૪ નું ઇ.વી.એમ.નં.૭૩૬૭ર બદલાઇ ગયાનો આક્ષેપ રણજીત મુંધવાએ કર્યો છે. અને કેન્સલ થયેલુ ઇ.વી.એમ.ઉપયોગ ન કરી શકાય તે અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરતા ખળભળાટ મચી ગયો છે.

(4:55 pm IST)