રાજકોટ
News of Thursday, 24th May 2018

વાંકાનેરના ભલગામ નજીક આવેલ માનવ બુદ્ધ વિહારમાં શનિવારે ભીમ ભોજન-ભજન

ડો.બાબાસાહેબ આંબેડકરજીના પૌત્ર પ્રકાશ સાહેબ આંબેડકર (બાળા સાહેબ) હાજર રહેશે

રાજકોટ, તા. ૨૪ : વાંકાનેર તાલુકાના ભલગામ બાઉન્ડ્રીથી અડધો કિલોમીટર નેશનલ હાઈવે, ૮-એ, પાવર હાઉસની બાજુમાં, માનવ બુદ્ધ વિહારમાં આગામી તા.૨૬ શનિવારે સાંજે ૮ કલાકે એક ભોજનનું આયોજન કરવામાં આવેલ છે. ત્યાં આજુબાજુના ગામડાઓના સાથ સહકારથી માનવ બુદ્ધ વિહાર નિમિતે ભવ્ય ભીમ ભજનનું આયોજન ડો.બાબાસાહેબ આંબેડકરના પૌત્ર એવા પ્રકાશ સાહેબ આંબેડકર (બાળા સાહેબ)ના અધ્યક્ષ સ્થાને કરેલ છે.

આગેવાનોએ જણાવેલ કે ડાયરાનું મુખ્ય આશ્રેય એ છે કે આપણા બંધારણના ઘડવૈયા મહામાનવ નારી મુકિતદાતા ભારત રત્ન એવા ડો.બાબાસાહેબ આંબેડકરનું સપનુ હતું કે ''મેં ભારત કો બુદ્ધમય બનાઉંગા''નું સપનુ હતું તેના ચીન્દથા માર્ગ પર આ વિહાર જઈ રહ્યો છે ત્યારે સમગ્ર સમાજના આગેવાનો - વડીલો, યુવાઓ - માતાઓ - તેમજ બહેનો તેમજ નાના ભુલકાઓને આ માનવ બુદ્ધ વિહારના કાર્યક્રમમાં આવવા આહવાન કરીએ છીએ. સાથીઓ આ વિહાર સમગ્ર માનવ જાતિનો વિસામો થવા જઈ રહ્યો છે ત્યારે આપણી પણ નૈતિક ફરજ છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા આયોજક અજીતભાઈ બેડવા, મોહનભાઈ બેડવા (મો.૯૮૨૫૩ ૨૧૯૫૬), મનુેભાઈ બેડવા, દાનાભાઈ બેડવા, ડી.આર. બથવાર, દેવજીભાઈ સોલંકી, મેસુરભાઈ બેડવા, માણસુરભાઈ વી. બેડવા, રમેશ ડૈયા (ઝોન), દિપક મકવાણા (દિપક એજન્સી), હરીભાઈ બેડવા, બાબભાઈ મોતાણી, વિનુભાઈ મકવાણા, ભીમરાજ રાઠોડ, યોગેશ સોલંકી (માહી મિલ્ક) તેમજ સર્વ સમાજના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૬)

(3:58 pm IST)