રાજકોટ
News of Saturday, 24th April 2021

રાજકોટમાં આજે રાહતના સમાચાર: કોરોનાના કેસ કરતા સાજા થયેલ દર્દીઓની સંખ્યા વધી:આજે સૌથી વધુ 568 લોકોએ કોરોના સામે જંગ જીત્યો:462 કેસ નોંધાયા

રાજકોટ: રાજકોટમાં આજે રાહતના સમાચાર આવ્યા છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં 462 કેસ નોંધાયા છે. જયારે 568 દર્દીઓ સાજા થયા છે ત્યારે આજે કેસ કરતા સાજા થયેલ લોકોની સંખ્યામાં વધારા થવા પામ્યો છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 25,132 દર્દીઓ સ્વસ્થ થયા છે. 

નોંધનીય છે કે, 20 એપ્રિલના 526 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.

(9:24 pm IST)