રાજકોટ
News of Saturday, 24th April 2021

રાજકોટથી અમદાવાદ...સાવ ખાલી સવારી, એસટી અમારી

કોરોનાની કારમી લહેરને લીધે લોકો ભયભીત બની ગયા છે. સંક્રમણ રોકવા તંત્રો મથામણ કરે છે તો બીજી તરફ લોકો પણ પોતાની રીતે સ્વેચ્છીક લોકડાઉન પાળી રહ્ના છે. બને ત્યાં સુધી લોકો શહેર બહાર મુસાફરી કરવાનું પણ ટાળી રહ્ના છે. હજુ ગયા મહિને જે એસટી બસો મુસાફરોથી ફુલ ભરાઇને અલગ અલગ ટ્રીપ પર જતી રહી એ બસો હાલના દિવસોમાં ખાલીખમ્મ ટ્રીપ કરી રહી છે. આજે રાજકોટથી અમદાવાદ જવા ઉપડેલી એસટીની વોલ્વોમાં સમ ખાવા પુરતો એકેય મુસાફર નહોતો.  એસટીનું સુત્ર છે-સલામત સવારી, એસટી અમારી...પણ આજે બસ જાઇને એવું કહી શકાય કે સાવ ખાલી સવારી, એસટી અમારી (ફોટોઃ અશોક બગથરીયા)

(1:48 pm IST)