News of Saturday, 24th April 2021
કોરોના ઇફેકટઃ મુસાફરો ઘટતા રાજકોટ એસ.ટી. ડેપો સહિત ૯ ડેપોની ર૦૦ બસો રદ કરાઇ
ગોંડલ-મોરબી-કાલાવડ-લોધીકા-જામનગર-અમદાવાદની બસો કેન્સલ
રાજકોટ તા. ર૪ :.. કોરોના ભયાનક બન્યો છે, તેની અસર રાજકોટ એસ. ટી. ડીવીઝનને પહોંચી છે, આવકમાં તોતીંગ ગાબડુ છે, સ્થિતિ ખરાબ બની છે, ડેપોની માત્ર ર લાખ આવક થઇ રહી છે, ૮૦ ટકા ઘટી જતા કર્મચારીઓમાં ભારે નિરાશા છે.
દરમિયાન મુસાફરો સાવ ઘટી જતા આજે લાંબા-ટૂંકા અંતરની બસો રદ કરવા માંડી છે, આજે રાજકોટ ડેપો સહિત ૯ ડેપોની ર૦૦ બસો રદ કરી નખાઇ છે, ગોંડલ - મોરબી-કાલાવડ-લોધીકા-પડધરી, જામનગર-જુનાગઢ-અમદાવાદની બસો રદ કરી નખાઇ હોવાનું અધિકારી સૂત્રોએ ઉમેર્યુ હતું.
(12:00 pm IST)