News of Wednesday, 24th April 2019
કયા વિસ્તારમાં શું થયું? માસ્તરે 'ગણિત' માંડ્યું
સુધરાઇ ફાયનાન્સ બોર્ડના ચેરમેન અને પૂર્વ મેયર ધનસુખભાઇ ભંડેરી રાજકોટ લોકસભા બેકના પ્રભારી હતાં. ખાસ કિસ્સામાં તેમને જામનગર બેઠક પરથી રાજકોટ બેઠક માટે નિમવામાં આવ્યા હતાં. ત્યારે સફળતાપૂર્વક રાજકિય સુકાન સંભાળીને મતદાનના દિવસે સતત કાર્યરત રહ્યા બાદ હવે લોકસભા બેઠકમાં કયાંથી કેટલી લીડ મળશે? કેટલા મતોથી જીતશું? તેનું ગણિત માંડીને બેઠેલા 'માસ્તર' નજરે પડે છે. બાજુમાં ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી અને અનિલભાઇ પારેખ જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)
(4:12 pm IST)