રાજકોટ
News of Wednesday, 24th April 2019

કમલેશ મિરાણીએ લાંબી દોડધામ પછી ઘરે 'શિરામણ' કર્યુઃ 'તંદુરસ્તી' જાળવવા માટે ઘરનો ખોરાક જ શ્રેષ્ઠ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ જમવાનું ઓછુ કરીને શરીર ઘટાડવાની શિખામણ આપી છે. ત્યારે અમિતભાઇ શાહ જેવુ જ ભારેખમ શરીર છતાં ચૂંટણીમાં સતત કાર્યરત રહેલા કમલેશભાઇ મિરાણીને જમવાના ભારે શોખીન છે. પરંતુ ચૂંટણી પ્રચાર દરમિયાન જમવાના કે નાસ્તાના ઠેકાણા ન હોય તે સ્વાભાવિક છે. પણ ચૂંટણી પ્રક્રિયા પુરી થતાં જ હેલ્ધી નાસ્તાની જમાવટમાં ગુંથાયેલા કમલેશભાઇ નજરે પડે છે. રાજકિય સફળતામાં તથા જબરદસ્ત નિરોગી શરીર માટે જેમનો સુંદર સહયોગ મિરાણીજીને મળ્યો છે તેવા ધર્મપત્નિએ પ્રેમપૂર્વક બનાવેલા ચા-નાસ્તો સજોડે માણી રહેલુ મિરાણી દંપતિ જોઇ શકાય છે. શહેર પ્રમુખ તરીકે વધુ એક સફળતા લોકસભા ચૂંટણીમાં મળશે તેવું તેમનું સ્પષ્ટ માનવું છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:08 pm IST)