આપણે એકઠા થઇએ છીએ, એક નથી થઇ શકતા : પૂ.સંત નીર્મળ સ્વામી
રાજકોટ તા ૨૪ : માનવ જાતે પોતાની સંવેદના ગુમાવી છે, ત્યારે ધર્મ ફરજ અને પ્રતિબદ્રતાની ઇમારત પર ઉભુ છે.
આ અમૃતવાણી વીછીંયા ખાતે યોજાયેલ સર્વ જ્ઞાતી સમુહલગ્ન વેળાએ સમઢીયાળા-૧ ''યોગીધામ'' ના યુગ દીવાકર સંત પૂ. નીર્મળ સ્વામીએ પીરસી હતી. તેમણે કહ્યું હતું કે દયા વિનાની આંખ સેવા વિનાના હાથ અને દાન વિનાનું કાર્ય નીર્થક છે. સાથો સાથ મનુષ્યનું આચરણ, સ્મરણ પવિત્ર રાખવાની શિખ આપી હતી. ટચલી આંગળી પર ભરોસો હોય તોં ગોવર્ધન ઉંચકાય, પરંતુ મોબાઇલના વિશ્વાસએ આંગળી ફેરવી જીંદગી ન જીવાય,જીવ જીભથી નહીં પણ જીવતરથી ભકિત કરે આડંબર ને ઉથલાવે એ જ યુવાની સાચી.
યુગ દીવાકર સંત પૂ. નીર્મળ સ્વામીએ અંતમાં જણાવ્યું કે, મનુષ્યના બહારના અને અંદરનાં મનનું એૈકય ન હોય ત્યારે દુઃખી કરતી પરિસ્થિતીઓનું નિર્માણ થાય છે. કૃપાળુના સ્મરણથી તૃપ્ત થવાશે. ધ્યાન કરવાવાળો મનુષ્ય કાયરતાને ત્યાગે, કારણ કે ગીતાજીમાં કહ્યુ ં છે અનેક જન્મ સંસિદ્ધસ્તો યાતી પરામ મતિ । સમુહ લગ્નના અનેકાનેક સાધુ મહંતો દાત્તાઓ એ અનુદાનની ઝડી વરસાવી હતી. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો એ ખાસ હાજર રહી સામુહીક મહા પ્રસાદ વ્યાખ્યાનનો લાભ લીધેલ.