રાજકોટ
News of Wednesday, 24th April 2019

કોઠારિયા નજીક સાંઢીયા પુલ પાસે કારખાનામાં આગ : રપ લાખોનું નુકશાન

પ્લાસ્ટીકના દાણા, મશીનરી, વેસ્ટેજ માલ અને ઓઇલ ભરેલા બેરલ બળી ગયા

રાજકોટ, તા. ર૪ : કોઠારિયા નજીક સાંઢીયા પુલ પાસે આવેલા પ્લાસ્ટીકના દાણાના કારખાનામાં આગ લાગતા ફાયર બ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.

મળતી વિગત મુજબ કોઠારિયા નજીક સાંઢીયાપુલ પાસે આવેલ જય બાલાજી પ્લાસ્ટીક નામના કારખાનામાં એકાએક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. આ બનાવની સુનિલભાઇ નામના વ્યકિતએ જાણ કરતા ફાયર બ્રિગેડના બે ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી, આગ કારખામાંં પડેલા પ્લાસ્ટીકના દાણામાં મશીનરી અને ઓઇલ ભરેલા બે બેરલમાં લાગી હતી. બનાવની જાણ થતાં ફેકટરી માલીક અરવિંદભાઇ સ્થળ પર દોડી આવ્યા હતા. આગમાં અંદાજે રપ લાખનું  નુકશાન થયું હોવાન કારખાનાના માલીકે  જણાવ્યું છે અને  આગ કયા કારણોસર લાગી તે અંગે જાણવા તપાસ થઇ રહી છે.

(3:54 pm IST)