મ્યુઝિક લાઇફ દ્વારા રવિવારે 'ગરવી ગુજરાત' સંગીત સંધ્યા
૧૩ થી ૨૦ ની વયના બાળદોસ્તો 'મેઘાણી' અને 'ટાગોર'ના ગીતો રજુ કરશે : મણીયાર હોલ ગુંજી ઉઠશે
રાજકોટ તા. ૨૪ : મ્યુઝીક લાઇફ ગ્રુપ દ્વારા 'ગરવી ગુજરાત' શીર્ષકતળે સંગીત સંધ્યાનું આયોજન કરાયુ છે.
આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા મ્યુઝીક લાઇફ ગ્રુપના બાળદોસ્તોએ જણાવ્યુ હતુ કે અમારૂ આ ગ્રુપ ૧૩ થી ૨૦ વર્ષની વયના બાળ કલાકારોનું બનેલુ છે. ખાસ કરીને ગુજરાતી રચનાઓને ઉજાગર કરવાના આશય સાથે આગામી તા. ૨૮ ના રવિવારે 'ગરવી ગુજરાત' શીર્ષક તળે વિશેષ કાર્યક્રમ ગુજરાત સ્થાપના દિવસ નિમિતે આયોજીત કરેલ છે.
અરવિંદભાઇ મણીયાર હોલ, જયુબેલી બાગ ખાતે તા. ૨૮ ના રવિવારે રાત્રે ૮.૩૦ વાગ્યે આયોજીત આ સંગીત સંધ્યામાં ઝવેરચંદ મેઘાણી, રવિન્દ્રનાથ ટાગોર સહીતના રચયિતાઓની ગુજરાતની રચનાઓ રજુ કરાશે.
મ્યુઝીક લાઇફ ગ્રુપના સ્મિત દોશી (મો.૭૫૬૭૦ ૫૧૭૪૬), સૌરભ ગઢવી, ભૌમિક શાહ, મનોજ વિરડા, વિતીકા પટેલ, જય ગોહિલ, જહાન્વી દાવડા, ઉદયસિંહ સરવૈયા (મો.૮૯૮૦૩ ૬૮૯૭૮), એન્કર લવલી ઠકકર પોતાની કલા પ્રદર્શીત કરશે.
તસ્વીરમાં મ્યુઝીક લાઇફ ગ્રુપના બાળદોસ્તો 'અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૬)